Friday, May 3, 2024
HomeGujaratમોરબીમાં થયેલ વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો : ચાર શખ્સોની પોલીસે કરી ધરપકડ,...

મોરબીમાં થયેલ વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો : ચાર શખ્સોની પોલીસે કરી ધરપકડ, એકની શોધખોળ

મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રીપાઠીની સુચના તેમજ ડીવાયએસપી પી.એ.ઝાલાએ મોરબી જીલ્લાના ગુનાના કામે પકડવાના બાકી આરોપીઓ તેમજ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ટીમ બનાવી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા હત્યાના ગુનામા સંડોવાયેલા આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા. ૧૩/૦૪/૨૦૨૪ ના રોજ સાંજના સમયે મોરબીનાં રામકૃષ્ણનગરમાં ફરીયાદીનાં રહેણાકના સ્થળે આ ગુનામા સંડોવાયેલ આરોપીઓ શનીભાઈ ઉર્ફે વેલાભાઈ રમેશભાઈ લાલુકીયા, જયદેવસિંહ ઉર્ફે જયુભા પંચાણજી ઝાલા, વિમલભાઇ નટૂભાઈ કામળીયા તથા સંદીપભાઇ રાજેશભાઈ બોળાએ ભેગા મળી મારામારી કરેલ ત્યારબાદ આરોપીઓના અન્ય મિત્રોએ ફરીયાદીના પતિને માર મારી ઘરની બહાર શેરીમાં રાખેલ ચંપલની લારીને આગ લગાડી સળગાવી નુક્શન કરેલ અને ફરીયાદીના પતિ (મરણજનારને) માર મારી સળગતી લારી પાસે ધકો મારી ફેકી દીધેલ હોય જેઓનું સારવાર દરમ્યાન મોત નિપજતા ગુનામાં ઇપીકો કલમ ૩૦૨ વીગેરેનો ઉમેરો કરી તાત્કાલીક ગુનાના કામે જુદી જુદી ટીમ બનાવી પોલીસે ચારેય આરોપીઓને શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ હજુ એક ફરાર આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!