Saturday, July 27, 2024
HomeGujaratમોરબી રાજકોટ હાઇવે પર આવેલ ખજુરા હોટલ પાસેથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો

મોરબી રાજકોટ હાઇવે પર આવેલ ખજુરા હોટલ પાસેથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો

મોરબી રાજકોટ હાઇવે પર આવેલ ખજુરા હોટલ પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે બપોરના સમયે મોરબી રાજકોટ હાઇવે પર આવેલ ખજુરા હોટલ પાસેથી કોઈ પ્રકારની દુર્ગંધ આવતી હોય જે જોવા જતા સ્થાનિકને ત્યાં મૃતદેહ જોવા મળતા તેઓએ તાત્કાલિક ટંકારા પોલીસ મથકે અજાણ્યા મૃતદેહ અંગે જાણ કરી હતી. જેને લઈ ટંકારા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને પંચનામું કરી મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડ્યું હતું. તેમજ ટંકારા પોલીસે આ અજાણ્યો શખ્સ કોણ છે અને તેણે આત્મહત્યા કરી કે તેની હત્યા થઇ છે. તેને લઈ તપાસ હાથ ધરી છે.

મોરબીથી માળીયા તરફ ટ્રક લઈને જતા વૃદ્ધને છાતીમાં દુખાવો થતા સારવાર દરમિયાન મોત

મોરબી થી માળીયા તરફ જતા પીપળીયા પાસે રાજસ્થાનના રહેવાસી ટ્રક ચાલકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના નંદભઇ ખાતે રહેતા પ્રભુદયાલ રામખેલાડી ચૌધરી નામના વૃદ્ધ ગત ૨૯/૧૨/૨૦૨૨ ના રોજ મોરબી થી માળીયા તરફ જતા પીપળીયા પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક સરદાર પટેલ પેટ્રોલ પંપ પાસે તેમને છાતીમાં દુહાવો ઉપડતા તેમણે પોતાનું RT 47 GA 5010 નંબરનું ટ્રક સાઇડટમાં રોકી ત્યાં રહેલ મહેન્દ્રસિંગ કિશનસિંગ ચૌહાણને જણાવતા તેઓએ પોતાની મોટર સાઇકલ પર બેસાડી વૃદ્ધને પ્રથમ સારવાર માટે માળીયા મી. સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે ઇકો કરમા મોરબી સરકારી હોસ્પિટલ આવતા ફરજ પર હાજર ડોક્ટરે તેમને જોઇ તપાસી મરણ ગયેલનુ જાહેર કરતા સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશન ખાતે અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!