Tuesday, May 7, 2024
HomeGujaratગામ છોડી ચાલ્યો ગયેલો પરિવાર ફરી વાંકાનેરના માટેલ ગામે આવી જતા બે...

ગામ છોડી ચાલ્યો ગયેલો પરિવાર ફરી વાંકાનેરના માટેલ ગામે આવી જતા બે શખ્સોએ મારી નાખવાની ધમકી આપી

વાંકાનેર તાલુકાના માટેલ ગામે આરોપીઓ સાથે આગાઉ થયેલા ઝઘડાના કારણે અન્ય સ્થળે રહેવા ચાલ્યો ગયેલો પરિવાર ફરી માટેલ ગામે રહેવા આવી જતા આ બાબતે સારું ન લાગતા બે આરોપીઓએ ફરિયાદીને મારી નાંખવની ધમકી આપી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

- Advertisement -
- Advertisement -

માટેલ ખાતે આવેલ શીતળાધારમાં રહેતા રૂપલબેન ભાવેશભાઇ મુંધવા, (ઉ.વ.૩૨)ને વાંકાનેર તાલુકાના વિરપર ગામેં રહેતા જાલાભાઇ રામાભાઇ ડાભી અને રાઘવભાઇ ડાભી અગાઉ ઝઘડો થયો હતો જેથી તેઓ પરિવાર સાથે અન્ય કોઈ જગ્યાએ રહેવા ચાલ્યા ગયા હતા. થોડા સમય બાદ રૂપલબેન તેના પતિ અને બાળકો સહિતના પરિવાર સાથે ફરી માટેલ ખાતે રહેવા આવી ગયા હતા આ બાબતે આરોપી જાલાભાઇ રામાભાઇ ડાભી તથા રાઘવભાઇ ડાભીને સારું નહિ લાગતા આરોપીઓએ દંપતી સાથે ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!