Friday, April 19, 2024
HomeGujaratહળવદના ઇંગોરાળા ગામની સીમમા ખેતરમા ઉભો ઘઉનો પાક સળગ્યો

હળવદના ઇંગોરાળા ગામની સીમમા ખેતરમા ઉભો ઘઉનો પાક સળગ્યો

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની સીમમા 50 વિધામાં ઘઉનો તૈયાર પાક સળગવાનો બનાવ સામે આવ્યો છે. અચાનક ઘઉ સળગતા ખેડુત કરશનભાઇ દલવાડીએ આગ બુજાવાના પ્રયત્નો કરતા એ પણ આગની જપેટમા આવી ગયા હતાં બનાવની જાણ થતાં આજુબાજુ માંથી ખેડૂતો દોડી આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ખેતરની બાજુમાં કોઇએ બાવળ સળગાવતા તણખલો ઉભા ઘઉમા પડતા ઘઉ સળગ્યા હોવાનુ ખેડૂતો જણાવી રહ્યા છે. આ આગમા ઘઉ ટ્રેક્ટર તેમજ ખેડૂતના શરીરનો અડધો ભાગ પણ જપટમા આવી ગયો છે. હાલ દાઝી ગયેલા ખેડૂતને હળવદ બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!