Saturday, July 27, 2024
HomeGujaratઆવતીકાલે નવી વીજલાઈનકામ કરવાનું હોવાથી અડધા મોરબીમાં સાત કલાકનો વીજકાપ રહેશે !

આવતીકાલે નવી વીજલાઈનકામ કરવાનું હોવાથી અડધા મોરબીમાં સાત કલાકનો વીજકાપ રહેશે !

PGVCL, મોરબી દ્વારા તા.આવતીકાલે 1 માર્ચે મોરબી શહેરમાં ૧૧ કેવી અવધ ફીડર હેઠળના વિસ્તારોમાં નવી લાઈનકામ કરવાની કામગીરી હેતુથી સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

PGVCL, મોરબીના જણાવ્યા અનુસાર, આવતીકાલ તારીખ ૦૧-૦૩-૨૦૨૩ ના બુધવારનાં રોજ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી અવધ ફીડર સવારે ૦૭:૩૦ વાગ્યાથી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી નવી લાઈનકામ કરવાની કામગીરી માટે બંધ રહેશે. જેમાં આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર ૧/૨, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે. તેમ PGVCL, મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!