Saturday, May 18, 2024
HomeGujaratવાંકાનેર હાઇવે પર બંધ ટેન્કર પાછળ બાઈક ઘુસી જતા ચાલકનું મોત સહિત...

વાંકાનેર હાઇવે પર બંધ ટેન્કર પાછળ બાઈક ઘુસી જતા ચાલકનું મોત સહિત જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવો પ્રકાશમાં આવ્યા છે જેમાં મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલ એસ્સાર પેટ્રોલ પંપની નજીક રોડ ઉપર બંધ હાલતમાં પડેલ ટેન્કર સાથે બાઈક અથડાતા બાઈક ચાલકનું મોત નીપજ્યું છે.વધુમા નદીના પાણીમાં ડૂબી જતાં ત્રણ વર્ષની બાળકી તથા અન્ય એક બનાવમાં પરિણીતાનુ બીમારી બદલ મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલ એસ્સાર પેટ્રોલ પંપની નજીક બંધ પડેલ ટેન્કર રજી નં. NL-01-N-2140ના પાછળના ભાગે બેફામ સ્પીડે આવતી બાઈક રજી નં. GJ-03-FL-8101 ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક સંજયભાઇ ભગવાનજીભાઇ ઉકેડીયા (ઉ.વ.૨૫) હાલ રહે. પાનેલી ગામ તા.જી.મોરબી મુળ રહે. રાતાવિરડાવાળાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

અન્ય એક બનાવમાં ટંકારા તાલુકાના હરીપર ગામે આવેલ હીમતભાઈ પટેલની વાડીએ કામ કરતા ચંપાબેન ઈશ્વરભાઈ પરમાર (ઉ.વ-૧૯) ગઈકાલે સવારના આઠેક વાગ્યા સમયે વાડીએ હતા ત્યારે આચાનક બેભાન થઈ જતા બેભાન હાલતમા સારવાર માટે ખસેડવામ આવ્યા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના ડોકટરે જણાવ્યું હતું.

આ ઉપરાંત અપમૃત્યુના વધુ એક બનાવમાં ટંકારા તાલુકાના અમરાપર રોડ ઈકબાલભાઈ અલારખાભાઇની વાડીએ રહેતા પરિવારની ત્રણ વર્ષની દીકરી રાધીકાબેન મહેશભાઈ બીલાળા અકસ્માતે નદીના પાણીમાં પડી જતા તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ પોલસ મથકે નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!