Wednesday, October 23, 2024
HomeGujaratમોરબીમાંથી જુગાર રમતા ત્રણ પતાપ્રેમીઓ પકડાયા

મોરબીમાંથી જુગાર રમતા ત્રણ પતાપ્રેમીઓ પકડાયા

મોરબી શનાળા રોડ પર આવેલ સ્વામીનારાયણ ગેઇટ વાળી શેરી નજીક ખુલ્લામાં જુગાર રમતા ત્રણ શકુનિઓને પોલીસે ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટીએ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર સ્વામીનારાયણ ગેઇટવાળી શેરીમાં બાપા સીતારામ ટ્રાન્સ્પોર્ટની બાજુમાં ખુલ્લામાં જુગારનો પાટલો મંડાયો હોવાની પોલીસને જાણ થતા પોલીસે રેઇડ પાડી હતી જ્યાં રેઇડ દરમિયાન જુગાર રમતા અલારખાભાઇ હુશેનભાઇ અલાસીયા (ઉ.વ.-૪૮ રહે-પંચાસર રોડ ભારત પરા), દિલીપભાઇ અમરશીભાઇ જાદવ (ઉ.વ.૩૫ રહે.મોરબી સજનપર તા.ટંકારા) અને ઓસમાણભાઇ હુશેનભાઇ લોલાડીયા (ઉ.વ.૬૦ રહે. રહે.મોરબી લાતી પ્લોટ શેરી નં-૪)ને ઝડપી લીધા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રોકડા રૂ.૧૨૭૪૦ ના મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!