Friday, April 26, 2024
HomeGujaratમોરબી-વાંકાનેરમાં અપમૃત્યુનાં ત્રણ બનાવો

મોરબી-વાંકાનેરમાં અપમૃત્યુનાં ત્રણ બનાવો

મોરબીના લૂંટાવદર પાસે ફેકટરીના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ શ્રમિક યુવાને જીવન ટુંકાવ્યુ

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લૂંટાવદર ગામના પાટિયા પાસે ઓવરસેટ ગ્લોબલ માઈક્રોન એલએલપી કંપનીમાં રહીને કામ કરતા રાજેશભાઇ મંગ્બીયાભાઇ ભુરીયા (ઉ.વ.૨૧) નામના શ્રમિક યુવાને ગઈકાલે તા.૧૭નાં રોજ પોતાના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકાનાં ટીંબડી ગામે યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટીંબડી ગામના પાટીયા નજીક મફતીયા પરામાં રહેતા ચંદુલાલભાઇ અવચરભાઇ વાઘેલા(ઉ.વ.૨૫) નામનાં યુવાને ગઈકાલે તા. ૧૭ના રોજ કોઈ કારણસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતાં તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના ભાયાતી-જાંબુડીયા ગામે સાપે ડંખ મારતા આધેડનું મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાનાં ભાયાતી-જાંબુડીયા ગામે રહેતા કરશનભાઇ પુંજાભાઇ સાગઠીયા(ઉ.વ.૪૨) ગઈકાલે તા. ૧૭ના રોજ પોતાના ઘરે સુતા હતા. આ દરમ્યાન સાપે ડંખ મારતા તેમનું મૃત્યુ થયું હતું બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!