Thursday, March 28, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવો

મોરબી જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવો

મોરબી : લીલાપર રોડ પર રહેતા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- Advertisement -
- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર લીલાપર રોડ ન્યુ યદુનંદન ગૌશાળા સામે સાત હનુમાન સોસાયટીમાં રહેતા રજનીકાંતભાઈ શીવભાઈ અઘારા (ઉ.વ.૨૮) એ ગઈકાલે તા. ૧નાં રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે છતનાં હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. હાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી : લગધીરપુર ગામે સીરામીક કારખાનામાં કામ કરતાં પડી જતાં આઘેડનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર લગધીરપુર ગામ પાસે એક્સ વિટ્રિફાઇડ કારખાનામાં ડાયાભાઈ હમીરભાઈ જાદવ (ઉ.વ.૪૦, રહે. ખોપ તા. ઉના જી. ગીર સોમનાથ) વાળા કામ કરતા હોય દરમ્યાન અકસ્માતે પડી જતાં તેને ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર : બીમારીથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકામાં ભાટીયા સોસાયટીમાં રહેતા વિનોદભાઈ વજેરામભાઈ દાદલ (ઉ.વ.૪૫) એ બીમારીથી કંટાળી ગઈકાલે તા. ૧નાં રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!