Thursday, April 25, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવો

મોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવો

માનસિક બીમારીથી કંટાળી મહિલાએ ગળફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૨૬ના રોજ મોરબીનાં ઉમીયાનગરમાં રહેતા જોષનાબેન મુકેશભાઇ પરમાર (ઉ.વ.૪૩) પોતાના ઘરે માનસિક બીમારીથી કંટાળી ગળે ફાંસો ખાઇ લીધો હતો. આથી, તેમનું મોત નીપજ્યું છે. મૃતક જોષનાબેનને છેલ્લા ૧૮ વર્ષથી માનસીક બીમારી હોવાથી તેની દવા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. મોરબી સીટી બી ડિવીઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સીરામીક ફેક્ટરીમાં ભઠ્ઠી ઉપરથી પડી જતા યુવતીનું મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૬ના રોજ રંગપર ગામમાં કોમલ વન્સલ (ઉ.વ.૩૨) કેશવાનંદ સીરામીકના કારખાનામાં ભઠીમાં કામ કરતી હતી. તે વખતે ભઠી પરથી પડી જતા તેનું મોત નીપજ્યું છે. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારાના હડમતીયા ગામે દાદીમાના અવસાનનાં આઘાતમાં પૌત્રએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હડમતીયા ગામે રહેતા વિજયભાઈ જનકભાઇ સોલંકી નામના યુવાને ગઈકાલે તા. ૨૬ના રોજ ગળેફાંસો ખાઈ લીધો હતો. આથી, તેમનું મૃત્યુ થયું છે. મૃતક વિજયભાઈ પોતાના બા (દાદી) સાથે રહેતા હતા અને એકાદ માસ પહેલા તેમના બા ગુજરી ગયા હતા. આથી, પોતે એકલા થઇ જતા ગુમસુમ રહેતા હતા અને તેમને એકલાપણુ લાગતુ હોય. જેથી, આવેશમાં આવી જઈ તેમને અંતિમ પગલું ભર્યું હોવાનું તેમના પિતા જનકભાઈ સરવેરામભાઈ સોલંકીએ પોલીસને જણાવ્યું છે. ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!