Friday, May 10, 2024
HomeGujaratમોરબી ના રોહિદાસપરા માંથી 1.37 લાખ ના કોપર વાયર ની ચોરી કરનારા...

મોરબી ના રોહિદાસપરા માંથી 1.37 લાખ ના કોપર વાયર ની ચોરી કરનારા ત્રણ ઝડપાયા

વિગત મુજબ મોરબી માં રોહિદાસપરા માં હનુમાનજી ના મંદિર પાસે આવેલા મકાન માં બારી નો કાચ તોડી ને અંદર થી બારણા નો આંકડીયો ખોલી મકાન માં રાખેલ ૩૫ સ્કવેર એમએમ ના ૬૦૦ મીટર ના ૬ જેટલા બંડલ અને ૧૬ સ્કવેર એમએમ નો ૧૦૦ મીટર કોપર કેબલ મળીને કુલ કિં. ૧,૩૭,૦૦૦ નો મુદ્દામાલ ચોરી થઈ હતી જે બાબતે સુરેશચંદ્ર ભવાનીપ્રસાદ મિશ્રા રહે.રોહિદાસપરા વાળા એ મોરબી સીટી બી ડિવિઝન માં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં તપાસ દરમીયાન ઉપરોક્ત ચોરી કરનારા ત્રણ શખ્સો હરેશ જગદીશ સારેસા ઉ.૩૪ રહે.રોહિદાસપરા ,મુકેશ ઉર્ફે ખાટો હીરાભાઈ ચાવડા ઉ.૨૮ રહે.રોહિદાસપરા અને રજાક લતીફ કચ્છી રહે .કાંતિનગર મોરબી-૨ વાળા ને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડી ને આગળ ની કાર્યવાહી હાથ ધરાઈ હતી .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!