Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેર મહારાજના રાજતીલક પ્રસંગે આજે બ્રહ્મ ચોર્યાસી સંપન્ન

વાંકાનેર મહારાજના રાજતીલક પ્રસંગે આજે બ્રહ્મ ચોર્યાસી સંપન્ન

વાંકાનેરના આંગણે મહારાજા કેસરીદેવસિંહ ઝાલાની રાજતીલક વિધિનો રૂડો અવસર રંગે, ચંગે ઉમંગે ઉજવાઈ રહયો છે ત્યારે મહારાજા કેસરીદેવસિંહ ઝાલાના રાજતીલક પ્રસંગમાં આજે બીજા દિવસે બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વકાનેરના નગર જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. અને પ્રસાદ ગ્રહણ ર્ક્યો હતો.

- Advertisement -
- Advertisement -

મહારાજા કેસરીદેવસિંહ અને તેમના પત્નીએ બ્રાહ્મણોને મીઠા પ્રસાદ પીરસ્યા હતા અને મોઢા મીઠા કરાવ્યા હતા. આ પ્રસંગે મહારાજા કેસરીદેવસિંહ એ સંબોધન આપતા જણાવ્યું હતું કે, ફક્ત બ્રાહ્મણોના આશીર્વાદથી જ એક ક્ષત્રિય ધર્મની રક્ષા કરી શકે અને પ્રજા લક્ષી માટેના કાર્યો કરી શકે છે.આ મંગલ પ્રસંગે ઉપસ્થિત તમામે મહારાજાને આશીર્વાદ આપ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!