Wednesday, May 8, 2024
HomeGujaratમોરબી સબ જેલના જેલરની ગાંધીધામ જેલ ખાતે બદલી

મોરબી સબ જેલના જેલરની ગાંધીધામ જેલ ખાતે બદલી

મોરબી સબ જેલ ખાતે જેલર તરીકે ફરજ બજાવતા એલ.વી પરમારની ગાંધીધામ જેલ ખાતે બદલી કરવામાં આવી છે.જ્યારે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેના જેલરને મોરબી મુકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

વડી કચેરીના કાર્યાલયના આદેશ અનુસાર મોરબી સબ જેલના જેલર તરીકે ફરજ અદા કરતા એલ.વી પરમારની ગળપાદર જેલ ગાંધીધામ ખાતે જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે.જ્યારે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે જેલર તરીકે ફરજ બજાવતા કે.એસ.પટણીની મોરબી સબ જેલ ખાતે જાહેર હિતમાં બદલી થયેલ છે. આ ઉપરાંત સુબેદાર તરીકે ફરજ બજાવતા લાલસિંહ મેઘરાજસિંહ ઝાલાને જેલર તરીકે બઢતી મળી મોરબી સબ જેલ ખાતે જેલર તરીકે નિમણુંક આપવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!