Saturday, May 4, 2024
HomeGujaratહળવદ નજીક કાળમુખા ટ્રકે કચડી નાખતા 12 ઘેટા ના કમકમાટીભર્યા મોત નિપજ્યા

હળવદ નજીક કાળમુખા ટ્રકે કચડી નાખતા 12 ઘેટા ના કમકમાટીભર્યા મોત નિપજ્યા

હળવદના ટીકર(રણ) ગામની ચોકડી નજીક રોડ પર કાળમુખા ટ્રકે કચડી નાખતા 12 જેટલા ઘેટાના  કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ કરુણાંનિકાને પગલે મારધારી પરિવાર પર દુઃખનો પહાડ ફાટી પડ્યો હતો.ઉલ્લેખનીય છે કે રબારી પરિવાર કચ્છથી અમદાવાદ વાંઢે જઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ બનાવની પ્રાથમિક વિગત અનુસાર આજે બપોરના સમયગાળા દરમિયાન કચ્છના નખત્રાણા તાલુકામાં રહેતા સાજણભાઈ ખેતાભાઇ કરોતરા પોતાના ઘેટા બકરા સહિતના માલ-ઢોર સાથે અમદાવાદ તરફ વાંઢે જઈ રહ્યા હતા આ દરમિયાન હળવદ તાલુકાના ટીકર (રણ) ચોકડી પાસે હિટાચી ભરેલ ટ્રક ઘેંટાના સમૂહ ઉપર ફરી વળતા 12 જેટલા ઘેટા કચડાઈ જવાથી સ્થળ પર જ મોત ને ભેટયા હતા.તથા અનેક ઘેટાઓ ઇજાગ્રસ્ત થયા હતા બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો અને ટીકાર ગામના અગ્રણી ધર્મેન્દ્રભાઈ એરવાડીયા સહિતના જીવદયા પ્રેમીઓએ દોડી જઇ દોડી જઇ પશુ ડોકટરો મારફતે ઇજાગ્રસ્ત ઘેંટાઓની સારવાર આદરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!