Friday, May 17, 2024
HomeGujaratમોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના બે બનાવ નોંધાયા

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના બે બનાવ નોંધાયા

ગઇકાલે મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ મથક અને હળવદ પોલીસ મથકમાં અપમૃત્યુ ના બે અલગ અલગ બનાવો નોંધાયા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ બનાવની વિગત અનુસાર વાંકાનેરના વધાસીયા એક્યુટોપ સીરામીકની ઓરડી નં.૨૯ માં રહેતા લાલસીંગ શ્યામલાલ આહીરવાલા નામના વ્યક્તિએ વધાસીયા એક્યુટોપ સીરામીકની ઓરડી નંબર ૨૯માં ગઈકાલે કોઇ અગમ્ય કારણો સર પંખા સાથે ગળેફાસો ખાઇ આપઘાત કર્યું હતું. જેને લઈ વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જયારે બીજા બનાવની વિગત અનુસાર હળવદના મિયાણી ખાતે રહેતો કરશનભાઇ હેમુભાઇ જીંજુવાડીયા નામનો યુવક ગઈકાલે નર્મદા કેનાલમાં પાણી પીવા જતાં પગ લપસી જતા કેનાલમાં ગરકાવ થયો હતો. જેના કારણે પાણીમાં ડુબી જતા યુવકનું મોત નીપજ્યું હતું જેથી હળવદ પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!