Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં અપમૃત્યુ તથા અકસ્માતે મૃત્યુના બે બનાવો નોંધાયા

મોરબીમાં અપમૃત્યુ તથા અકસ્માતે મૃત્યુના બે બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં ગાઈકાલે અપમૃત્યુ અને અકસ્માતે મૃત્યુના બે બનાવો જુદા જુદા પોલીસ મથકના ચોપડે નોંધાયા છે જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સીપાઇવાસમા રહેતા ઇકબાલભાઇ હુશેનભાઇ કુરેશી નામના ૪૦ વર્ષીય યુવાનને રાત્રીના સમયગાળા દરમિયાન એકાએક છાતીમા દુખાવો ઉપડ્યો હતો. જે ફરિયાદને લઈને યુવાનને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લીધા બાદ રજા આપવામાં આવી હતી.ત્યારબાદ ઘરે આવ્યા હતા. જ્યા ફરીથી ઈકબાલભાઈને છાતીમાં દુખાવો ઉપડતા રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યા તેમનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.જેને પગલે પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.

અપમૃત્યુના અન્ય એક કેસની મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર લગધીરપુર રોડ સુઝલોન સિરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા પવન મેડા નામના ૨૨ વર્ષીય યુવાને કોઇપણ કારણસર ક્વાર્ટર રૂમમાં ગળે ફાસો ખાઇ લીધો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું જેને પગલે પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!