Tuesday, March 19, 2024
HomeGujaratમોરબીમાં જુદા જુદા બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત

મોરબીમાં જુદા જુદા બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત

મોરબીમાં ગળેફાંસો ખાઇ ગયેલ આધેડનું સારવાર દરમ્યાન મોત

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીના શકત શનાળા ગામે રહેતા મુકેશભાઈ કાનજીભાઈ કુંડારીયા નામના ૪૫ વર્ષીય આધેડ એ તેના ઘરની બાજુમાં આવેલી વાડીએ જઈને રાત્રીના સમયે ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી તેને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો.વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જયાં તેમનું મોત નીપજ્યું હતું આ અગેની વધુ તપાસ એ.એસ.આઇ એન.એલ.લાવડીયાએ તપાસ હાથ ધરી છે.

મોરબીના નટરાજ ફાટક નજીક ટ્રેન હડફેટે યુવાન આવી ગયો

મોરબીના નટરાજ ફાટક નજીક એક યુવાન સવારના સુમારે ટ્રેન હડફેટે આવી જતા તેને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.ઈજાગ્રસ્ત યુવાનનું નામ અશોકભાઈ સાદુલભાઈ હોવાની માહિતી મળી હતી તો તે વિસીપરામાં ઈંટના ભથ્થામાં કામ કરતા હોય અને મૂળ અમરેલી બાબરાના રહેવાસી હોવાની માહિતી પોલીસ સુત્રોમાંથી મળી હતી તો ધટનાની જાણ થતા રેલ્વે પોલીસના રતિલાલભાઈ સહિતની ટીમ દોડી જઈને ધોરણસરની કામગીરી હાથ ધરી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!