Friday, March 29, 2024
HomeGujaratમોરબી-ટંકારામાં આકસ્મિક મૃત્યુનાં બે બનાવો

મોરબી-ટંકારામાં આકસ્મિક મૃત્યુનાં બે બનાવો

મોરબીનાં લખધીરપુર રોડ પર કારખાનામાં કામ કરતી વખતે પડી જતાં ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મોત

- Advertisement -
- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં જુના ઘુંટુુ રોડ પર રહેતો વિક્રમ મનસુખભાઈ અગેચણીયા (ઉં.વ.૨૫) નામનો યુવાન ગત તા. ૪/૫/૨૦૨૧નાં રોજ સવારે સાડા નવેક વાગ્યે લખધીરપુર રોડ પરનાં સિધ્ધીશેરા કેમીકલ કારખાનામાં કામ કરતો હતો ત્યારે કોઈ કારણોસર પડી જતાં તેને માથાનાં ભાગે ઈજા થતાં પ્રાથમિક સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન તા. ૭/૫/૨૦૨૧નાં રોજ મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારા તાલુકાનાં ટોળ ગામે ઘરે પડી જતાં ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના ટોળ ગામના રહેવાસી મશરૂભાઈ કુંભાભાઈ ફાંગલીયા (ઉ.વ.૬૦) ગત તા. ૧૧/૦૪/૨૦૨૧ ના રોજ સાંજના છએક વાગ્યાનાં સુમારે પોતાના ઘરે પડી જતા તેઓને માથાના ભાગે ઈજા થતા સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તા. ૧૨/૪/૨૦૨૧ નાં રોજ તેમનું મોત થયું હતું. ટંકારા પોલીસે બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!