Friday, March 29, 2024
HomeGujaratમોરબી-હળવદમાં અપમૃત્યુનાં બે બનાવો

મોરબી-હળવદમાં અપમૃત્યુનાં બે બનાવો

હળવદ : જંતુનાશક દવાની ઝેરી અસર થતાં આધેડનું મોત

- Advertisement -
- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદનાં દેવીપુર ગામે રહેતા દયારામ દેવજીભાઈ જાદવ (ઉં.વ.૫૮) ગત તા. ૨૭નાં રોજ સાડા નવ વાગ્યા આસપાસ પોતાના ગામે ખેતરમાં ઘાસ બાળવાની જંતુનાશક દવા ખેતરમાં છાંટતા હતા જેના કારણે તેના શરીરે જંતુનાશક દવાની ઝેરી અસર થતાં તબિયત બગડતા તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમ્યાન તા. ૨૮નાં રોજ મોત નિપજ્યું હતું. હળવદ પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી : છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં રવાપર રોડ પર રહેતા પરાગભાઇ અરવિંદભાઈ મોદી (ઉં.વ.૩૨) ને ગત તા. ૨૭નાં રોજ છાતીમાં દુખાવો થવાથી સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરનાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતાં. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!