Friday, March 29, 2024
HomeGujaratમોરબી-ટંકારામાં અપમૃત્યુના બે બનાવો

મોરબી-ટંકારામાં અપમૃત્યુના બે બનાવો

મોરબી : જેતપર ગામે માતા સાથે ઝઘડો થતા પરિણીતાએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યુ

- Advertisement -
- Advertisement -
- Advertisement -

જેતપર ગામની વાડીએ રહેતા સરતાનભાઇ ઉર્ફે વાગેશ ઇસલાભાઇ નાયકાના પત્ની રીંકલબેન (ઉ.વ.૧૯)ની માતા પોતાના વતનમાંથી કોઇને કહ્યા વગર જતી રહેલ હોય, જે બાબતે રીંકલબેનને તેની માતા સાથે ફોનમાં ઝગડો થયેલ હતો. જે બાબતે મૃતક રીંકલબેનને મનોમન લાગી આવતા તેને ગત તા. ૨૫ જુલાઈના રોજ પોતાની જાતે ઝેરી દવા પી જતા પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ બાદ તા. ૨૬ જુલાઈનાના રોજ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરેલ હતા જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે તા. ૧ના રોજ તેણીનું મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારા : સજનપર (ઘુનડા) ગામે દાઝી જતાં વૃદ્ધાનું મોત

ટંકારા તાલુકાનાં સજનપર (ઘુનડા) ગામે રહેતા મોંઘીબેન પાલાભાઈ જાદવ (ઉં.વ.૮૦) નામની વૃદ્ધા ગત તા. ૩૧નાં રોજ પોતાના ઘરે દીવો પડતા શરીરે દાઝી જતા તેને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું સારવાર દરમિયાન ગઈકાલે તા.૧નાં રોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!