Tuesday, April 23, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના વરડુસર ગામે પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત

વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં તળાવ પાસે પ્રેમી પંખીડાએ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી વિગતો અનુસાર ગઈકાલે તા. ૧નાં રોજ વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં તળાવ પાસે પ્રેમી યુગલની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક માનસીંગભાઈ દિનેશભાઈ સેટાણીયા (ઉં.વ.૨૫, રહે વરડુસર) તથા શિલ્પાબેન મનસુખભાઈ સારલા (ઉં.વ.૨૨ રહે. ભીમગુડા) બંનેને પ્રેમસંબંધ હોય જેથી ગત તા. ૧૨ જુલાઈ નાં રોજ ઘરેથી જતા રહ્યા હોય અને ગઈકાલે તા. ૧નાં રોજ ગળેફાંસો ખાઈ લીધો હોવાનું ખુલ્યું હતું. પોલીસે બંને મૃતકોના મૃતદેહોને પીએમ ખસેડી બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!