Saturday, May 4, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

મોરબી જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

મોરબી તાલુકાના મકનસર ગામે દેણું થઈ જતાં યુવાનનો આપઘાત

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મકનસર ગામમાં વાદી પરા વિસ્તારમાં રહેતા અનીલભાઇ ભગવાનજીભાઇ ઝિઝુવાડીયા(ઉ.વ.૨૮)એ ગઈકાલે તા.૨૯ ના રોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક અનિલભાઈ એલ્યુમીનીયમના બારી-બારણાનું મજૂરી કામ કરતો હતો. અને તેને એડવાન્સ પૈસા લઇ નશો કરવાની ટીકડીઓ ખાવાનું વ્યસન હતું. આથી, દેણુ થઇ જતા તેને આપઘાત કર્યો હતો

વાંકાનેર તાલુકાનાં કણકોટ પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર કણકોટ ગામે રહેતી રેમીબેન પાચાભાઇ મુંધવા(ઉ.વ.૨૫) એ ગઈકાલે તા.૨૯ ના રોજ પોતાના ઘરે કોઇ કારણસર ગળે ફાંસો ખાઇ લેતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી. મૃતક રેમીબેનના લગ્ને ૭ મહિના જેટલો સમય થયો છે. હાલ તેઓ સાસુ-સસરા સાથે રહેતા હતા. હાલમાં આપઘાતનાં આ બનાવની વધુ તપાસ ડીવાયએસપી રાધીકા ભારાઈ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!