Thursday, May 16, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

મોરબી જીલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

ટંકારાના કલ્યાણપર ગામે કુવામાં પડી જતા આઘેડ મહિલાનું મોત

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાનાં કલ્યાણપર ગામે રહેતા હંસાબેન રસિકભાઈ વાધરીયા (ઉ.વ.૪૮) ગામેરી કુવા પાસે સાઠી લેવા જતા આ સાઠીમાં ઝેરી જનાવર જોઈ જતા ગભરાઈ જઈ ભાગવા જતા અકસ્માતે કુવામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

હળવદ : સુસવાવ ગામની સીમમાં કારખાનામાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક મહેશભાઈ માનાભાઈ ઉર્ફે મોનાભાઈ પરમાર(ઉ.વ.૨૮) હળવદ-માળીયા હાઈવે સુસવાવ ગામની સીમમાં પરીક્ષીત લેમીનેટ પ્રા. લી. કારખાનામાં એકલો રહેતો હોય અને તેની પત્ની તથા બાળકો તેના વતન ખાતે રહેતા હોય અને છેલ્લા પંદરેક દિવસ પહેલા તે તેના વતન ગયેલ હોય તેની પત્ની તથા બાળકોને પરીક્ષીત કારખાનામાં એકલો રહે છે ત્યા લઈ જવાનું કહેતા તેના પિતા તથા તેની પત્નીએ સાથે જવાની ના પાડેલ જેથી તે છેલ્લા ત્રણેક વર્ષથી એકલો રહેતો હોય જેથી તેને મનમાં લાગી આવતા ગઈકાલે તા. ૭નાં રોજ પોતાની જાતે કારખાનામાં ગળેફાંસો ખાઈ લેતા તેની ડેડબોડીને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!