Monday, May 20, 2024
HomeGujaratટંકારા-જામનગર રોડ ઉપર અલ્ટો કાર પલટી જતા એક જ પરિવારના બે સભ્યોના...

ટંકારા-જામનગર રોડ ઉપર અલ્ટો કાર પલટી જતા એક જ પરિવારના બે સભ્યોના મોત

ત્રણ બાળકી સહીત છ ઈજાગ્રસ્ત

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના હીરાપર અને સરાયા વચ્ચે મહાદેવના મંદિર નજીક ટંકારા જામનગર રોડ ઉપર મારૂતિ અલ્ટો કારના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગયી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના બે વડીલ સભ્યોના મોત નિપજ્યા હતા જયારે ત્રણ બાળકી સહીત છ સભ્યો ઈજાગ્રસ્ત થતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ગમખ્વાર અકસ્માતથી પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

સમગ્ર બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નીલકંઠ સોસાયટી શેરી નં.૩માં સાઈ પેલેસમાં રહેતા ખીમરાજભાઈ રાજેશભાઈ સોનરાજ અને શક્તિભાઈ રાજેશભાઈ સોનરાજ ગત તા.૩૦/૦૪ની વહેલી સવારે મારુતિ અલ્ટો કાર રજી. જીજે-૩૬-એફ-૦૭૨૦માં પોતાના પરિવાર સાથે બહારગામ જતા હોય ત્યારે ટંકારા જામનગર રોડ ઉપર ટંકારા તાલુકાના હીરાપર ગામથી પસાર થતા હોય ત્યારે સરાયા ગામ નજીક મહાદેવના મંદિર પાસે કાર ચાલકે કાર ઉપર કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ખીમરાજભાઈના માતા નિર્મળાબેન ઉવ.૬૫ તેમજ તેમના ફૈબા ગીતાબેન ઉર્ફે ગવરીબેન રામકુમાર ટપુભાઈ રેણુકાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે અલ્ટો કારમાં સવાર ખીમરાજભાઈ સોનરાજ અને કાર ચાલક શક્તિભાઈ સોનરાજ તથા તેમની પત્ની જલ્પાબેન તેમજ તેમની ત્રણ દીકરી આસ્થા, તુલસી અને હિનલને ઈજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માતની જાણ ટંકારા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને અકસ્માતમાં ઘાયલ તમામ સભ્યોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે અલ્ટો કાર ચાલક શક્તિભાઈ સોનરાજ સામે ગુનો નોંધી ટંકારા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!