Friday, April 26, 2024
HomeGujaratમોરબી તાલુકાના કેરાળા ગામ પાસે ખાલી કેનાલમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો:વાલી...

મોરબી તાલુકાના કેરાળા ગામ પાસે ખાલી કેનાલમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો:વાલી વારસની શોધખોળ

મોરબી તાલુકાના પાવડિયારી થી માળીયા હાઇવે તરફ જતી કેનાલ મા કેરાળા ગામની સીમમાં થી ખાલી કેનાલમાં આજે સવારે ૧૦:૪૫ વાગ્યા આસપાસ આશરે ૩૦ વર્ષની ઉંમરની અજાણી સ્ત્રીની લાશ મળી આવી હતી. જેની પોલીસે તપાસ કરતા આ મૃતક સ્ત્રીના વાલીવારસો અંગે કોઇ માહિતી મળી ન હતી.

- Advertisement -
- Advertisement -

જેની ઓળખમાં મૃતક મહિલાના હાથના બાવડા ઉપર હિન્દીમાં ‘‘ રમસૂભાઇ ’’ તથા ‘‘ અનીતાબેન ’’ ત્રોફાવેલ છે. જેથી મૃતક મહિલાને કોઈ ઓળખતું હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નં. ૦૨૮૨૨-૨૪૨૫૯૨ ઉપર જાણ કરવા મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ વિરલ પટેલ દ્વારા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!