Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેર : રોયલ્ટી વગર બેલાનું વેચાણ કરવાની ના પાડતા યુવાનને માર મારી...

વાંકાનેર : રોયલ્ટી વગર બેલાનું વેચાણ કરવાની ના પાડતા યુવાનને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકા પોલીસ મથકે મુળ જામનગર નાં વતની અને હાલ વાંકાનેર તાલુકામાં પાડધરા આર.સી.એન્ટરપ્રાઈજ ખાતે રહેતા આકાશભાઈ ભીખુભાઈ ઓડેદરા એ આરોપી સામતભાઈ નગાભાઈ કરમુર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨ નાં રોજ રાત્રીનાં સાડા નવેક વાગ્યાનાં અરસામાં ફરિયાદી પાડધરા રોડ પરથી પસાર થઇ રહ્યા હોય દરમ્યાન પલાસ ચોકડી પાસે એસ્સાર પેટ્રોલપંપ આગળ આરોપી સામતભાઈએ ફરિયાદીને રોકી ફરિયાદીએ તેમની બેલાની લીઝમાંથી આરોપીને રોયલ્ટી વગર બેલા૫ વેચાણ કરવાની ના પાડી હોય તે વાતનું મનદુઃખ રાખી ફરિયાદી તથા સાથેના વ્યક્તિને રોકી જેમફાવે તેમ ગાળો આપી ધકબુસટનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!