Thursday, March 28, 2024
HomeGujaratવાંકાનેર : હસનપર ગામે પ્રેમી પંખીડાએ સજોડે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

વાંકાનેર : હસનપર ગામે પ્રેમી પંખીડાએ સજોડે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના હસનપર ગામે સગીરા અને યુવાનને ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના હસનપર ગામનાં સ્મશાન પાસે સગીરા અને યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. વધુમાં મળતી માહિતી મુજબ મૃતક સગીરા અને સંજયભાઈ બટુકભાઈ સારલા (ઉ.વ.૨૨) બંને હસનપર ગામના જ રહેવાસી છે અને બંને એક બીજાને પ્રેમ કરતા હોય તેમના લગ્ન નહી થાય એ બીકના લીધે બંને ગઈકાલે સાંજના સમયે બાદ ઘરેથી નીકળી ગયા હતા અને આજે સવારના સમયે બંનેના મૂર્તદેહ મળ્યા હતા બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને મૂર્તદેહ પી.એમ.માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા. હાલ પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!