Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર : ગાળો બોલવા મામલે માનસિક બીમાર યુવાનને ચાર શખ્સોએ માર માર્યો,...

વાંકાનેર : ગાળો બોલવા મામલે માનસિક બીમાર યુવાનને ચાર શખ્સોએ માર માર્યો, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદ અમરાભાઇ ઉર્ફે અમરશીભાઇ રામાભાઇ બેડવા (ઉ.વ. ૫૮,રહે ચાંમુડાનગર શેરી નં ૨, ન્યુ વિશ્વનગર,૫૦ ફુટનો ખીજડાવાળો રોડ સુંદર જ્વેલર્સ સામેની શેરી સિધ્ધાર્થ રાજકોટ) એ આરોપીઓ રાજુભાઇ મનસુખભાઇ ઉર્ફે માયા બેડવા રહે (ઠીકરીયાળા તા. વાંકાનેર), અનીકેત અરજણભાઇ બેડવા (રહે ગોંડલ એસ.આર.પી. ક્વાર્ટર) તથા અન્ય બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીનો દિકરો અજય (ઉ.વ. ૩૨) વર્ષ ૨૦૧૭ થી માનસીક બીમાર હોય અને ગમે તેને જેમ ગાળો આપતો હોય અને આરોપીઓને ગાળો આપતા આરોપીઓને સારૂ નહીં લાગતા બે અજાણ્યા માણસો એમ ચારેય ગઈકાલે તા.૯ના રોજ બાઉન્ટ્રી રાજકોટ હાઇવે પાવર હાઉસ પાસે મેસરીયા, વાંકાનેર પાસે એક ફોરવ્હીલ કારમાં આવી ફરીયાદીના દિકરા અજયને લાકડીઓ પાઇપ વતી શરીરે આડેધડ માર મારી મુંઢ ઇજા તથા ફેક્ચર ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદનાં આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ સામે આઈ.પી.સી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!