Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર : જુની અદાવતનો ખાર રાખી ત્રણ ઇસમોનો આધેડ પર હુમલો, ફરિયાદ...

વાંકાનેર : જુની અદાવતનો ખાર રાખી ત્રણ ઇસમોનો આધેડ પર હુમલો, ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકનસર ગામે રહેતા હરજીભાઈ ચોંડાભાઈ મુંધવા(ઉ.વ.૪૧) એ આરોપી સનાભાઈ કરશનભાઈ ગમારા, બુટાભાઈ નોંધાભાઈ ગમારા અને કાનાભાઈ ખરગિયા (રહે ત્રણેય રફાળેશ્વર) વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તથા આરોપી સનાભાઈ દુધનો વેપાર કરતાં હોય જે બાબતે અગાઉ બોલાચાલી થઈ હોય જેનો ખાર રાખી ગત તા. ૪ જુનનાં રોજ ફરિયાદી હરજીભાઈ પોતાની બોલેરો લઈ દુધ આપવા જતાં હોય ત્યારે આરોપીઓએ અલ્ટો કારમાં આવી ફરિયાદી હરજીભાઈને બોલેરોમાંથી ઉતારી ત્રણેય આરોપીઓએ લોખંડના પાઈપ વડે માર મારતાં ફરિયાદીને ડાબા પગે ફેકચર તથા શરીરે મુંઢ ઈજાઓ કરી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!