Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેર : લગ્નપ્રસંગનાં હિસાબ મામલે ત્રણ શખ્સોએ આઘેડને માર્યો માર

વાંકાનેર : લગ્નપ્રસંગનાં હિસાબ મામલે ત્રણ શખ્સોએ આઘેડને માર્યો માર

મારામારીનાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના મકતાનપર ગામે રહેતા માવજીભાઈ લખમણભાઈ રાણેવાડીયા (ઉં.વ.૬૦) એ આરોપીઓ મેરાભાઈ હમીરભાઈ રાણેવાડીયા, ચંદુભાઈ હમીરભાઈ રાણેવાડીયા તથા જગદીશભાઈ હમીરભાઈ રાણેવાડીયા (રહે ત્રણેય મકતાનપર તા. વાંકાનેર જી. મોરબી) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તથા આરોપીઓ કાકા ભત્રીજા થતાં હોય અને ગત તા. ૨૮ના રોજ લગ્ન પ્રસંગનાં હિસાબ બાબતે ફરિયાદી માવજીભાઈએ આરોપી મેરાભાઈ હમીરભાઈ રાણેવાડીયાને ઠપકો આપતા ત્રણેય આરોપીઓએ ઉશ્કેરાઇ જઈ લાકડી વડે ફરિયાદીને માર મારતા ફરિયાદીને ડાબા પગે ફ્રેકચર તથા માથામાં ઈજા પહોંચતા ટાંકા તેમજ શરીરે મુંઢ ઈજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!