Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેર-જડેશ્વર રોડ પર બે કાર વચ્ચે અકસ્માતમાં ગુનો નોંધાયો

વાંકાનેર-જડેશ્વર રોડ પર બે કાર વચ્ચે અકસ્માતમાં ગુનો નોંધાયો

પ્રાપ્ત વિગતો અનુસાર નાનજીભાઇ સવસીભાઈ વાઘેલા(ઉ.વ.૪૫) એ ફોર વ્હીલ નં. જીજે-૩૬-આર-૩૮૦૨નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૨૯નાં રોજ વાંકાનેર-જડેશ્વર રોડ પર આરોપી પોતાની કાર નં. જીજે-૩૬-આર-૩૮૦૨ વાળી પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી વાહન પરનો કાબુ ગુમાવી સામેથી આવતી ઈકો કાર નં. જીજે-૧૦-ડીઈ-૩૩૮૬ વાળી સાથે ભટકાળી અકસ્માત કરી ઈકો કારનાં ડ્રાઈવર રાજેશભાઈ બોરીચાને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા તથા સાથેના જીલુબેનને કમરનાં ભાગે ઈજા પહોંચાડી હતી. પોલીસ બનાવની ફરિયાદ નાં આધારે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!