Wednesday, May 8, 2024
HomeGujaratવાંકાનેર : ખેતરમાંથી નીકળવા બાબતે નાનાભાઈએ મોટાભાઈને માર માર્યો

વાંકાનેર : ખેતરમાંથી નીકળવા બાબતે નાનાભાઈએ મોટાભાઈને માર માર્યો

મોરબી : વાંકાનેરના વરડુસર ગામે ખેતરમાં ચાલવા બાબતે બે સગા ભાઈઓ વચ્ચે મગજમારી થયા બાદ ઉશ્કેરાયેલા નાનાભાઈએ મોટાભાઈને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મનસુખભાઇ જાદુભાઇ નદાસીયા (ઉ.વ. ૩૨ ધંધો. ખેતી રહે. વરડુસર તા. વાંકાનેર જી. મોરબી) વાળાએ તેના ભાઈ જયસુભાઇ જાદુભાઇ નદાસીયા (રહે. વરડુસર તા. વાંકાનેર જી. મોરબી) ની સામે ફરિયાદ નોંધાવેલ કે, વરડુસર ગામે ફરીયાદી તથા આરોપીને ખેતરનો એકજ રસ્તો હોય જે ખેતરના રસ્તેથી ફરીયાદી નીકળતા આરોપીએ ફરીયાદીને કહેલ કે તુ અહીથી કેમ ચાલેશ આ મારુ ખેતર છે તેમ કહી ફરીયાદી સાથે ગાળા ગાળી તથા ઝઘડો કરી આરોપીએ પોતાના હાથમા રહેલ લાકડાના ધોકા વતી ફરીયાદીને ડાબા હાથમા માર મારતા મુંઢ ઇજા કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!