Friday, March 29, 2024
HomeGujaratઅજાણ્યાં વાહનની ઠોકરે ઘવાયેલા વાંકાનેર પંથકના યુવાને સારવારમાં દમ તોડ્યો

અજાણ્યાં વાહનની ઠોકરે ઘવાયેલા વાંકાનેર પંથકના યુવાને સારવારમાં દમ તોડ્યો

મોરબીમાં વાહન અકસ્માતના ખપ્પરમાં વધુ એક માનવ જીંદગી હોમાઈ છે. મોરબી હાઇવે પર પગપાળા જતા યુવાનને અજાણ્યાં વાહને ઠોકરે લેતા ગંભીર ઇજા થવા પામી હતી જેને સારવાર દરમિયાન ડમ તોડ્યો હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાયેલ વિગત અનુસાર મોરબી તરફ જતા હાઇવે પાસે આવેલ ગાયત્રી ચેમ્બરની સામેની રમેશભાઇ માલાભાઇ સાગઠીયા ( રહે ભા.જાંબુડીયા તા.વાંકાનેર)પગપાળા જતા હતા આ દરમિયાન અજાણ્યાં વાહન ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દઈ તેને હડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં યુવાન રોડ પર પટકાતા તેને ઇજા થવા પામી હતી. માથાના પાછળના ભાગે હેમરેઝ તથા જમણી આંખની પાસે ઇજા થતા સારવાર માટે ખસેડાયો હતો જ્યા સારવાર દરમ્યાન બેભાન હાલતમા અમદાવાદ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા હતા. અકસ્માત બાદ વાહન ચાલક નાશી છૂટ્યો હતો.

એ અંગે મૃતક યુવાનના પિતા માલાભાઇ પેથાભાઇ સાગઠીયા (રહે.હાલ નવાપર પંચાસર રોડ વિધાતા પોટરી પાસે ધર્મનગર વાંકાનેર મુળ ગામ ભાયાતી જાબુડીયા તા.વાંકાનેર) એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!