Sunday, May 5, 2024
HomeGujaratમોરબી નજીક મચ્છુ-૩ ડેમના રીપેરીંગ કરવાનું હોવાથી પાણી છોડવામાં આવ્યું:૨૧ ગામોને એલર્ટ...

મોરબી નજીક મચ્છુ-૩ ડેમના રીપેરીંગ કરવાનું હોવાથી પાણી છોડવામાં આવ્યું:૨૧ ગામોને એલર્ટ અપાયું

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ નજીક આવેલ મચ્છુ-૩ સિંચાઈ યોજનામાં હાલ 258.45 પાણી સંગ્રહિત છે. પાણીના જથ્થાને મચ્છુ નદીમાં છોડી મચ્છુ ડેમ ખાલી કરવા સરકારે આદેશ આપ્યો છે. ડેમમાં મરામત કરવા માટે ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 ડેમ ખાલી કરવાની જરૂરીયાત હોવાથી સરકારના આદેશ પ્રમાણે આજે ડેમનો 1 દરવાજો 1 ફૂટની સપાટીએ ખુલ્લો મુકવામાં આવ્યો છે. ડેમમાંથી 258.45 mcft જથ્થો ખાલી કરવામાં આવશે. મોરબીનો મચ્છુ 3 ડેમ ખાલી કરવા માટે આજે સવારે 12 કલાકે દરવાજો ખોલવામાં આવ્યો હતો. હાલ એક દરવાજો એક ફૂટની સપાટીએ ખુલ્લો મુકવામાં આવ્યો છે. તો સિંચાઇ યોજનાના નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાનાં ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તથા માળીયા મી. તાલુકાનાં દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મી), હરીપર તથા ફતેપર ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!