Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરના રાતીદેવડી ગામે પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળીને યુવાનનો આપઘાત : ફરિયાદ...

વાંકાનેરના રાતીદેવડી ગામે પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળીને યુવાનનો આપઘાત : ફરિયાદ નોંધાઈ

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામના વતની અને હાલ ગાંધીનગર સેકટર નં-૨૫ જી.આઇ.ડી.સી. બ્લોક નં-૨૫ મકાન નં- ૨૦ માં રહેતા જયંતિભાઇ બેચરભાઇ સોલંકીના પુત્ર મહેશ (ઉ.વ ૨૫) એ વાંકાનેરના નવી રાતીદેવડી ગામે રહેતા તેના સસરાનાં ઘરે તા.૨૯ ના રોજ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પિતાએ યુવાનની પત્ની સુમનબેન ગીરધરભાઇ વીકાણી તથા સાસરિયા પારૂબેન ગીરધરભાઇ કરશનભાઇ વીકાણી, ગીરધરભાઇ કરશનભાઇ વીકાણી (રહે નવી રાતીદેવડી, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના દિકરા મહેશના લગ્ન આરોપી સુમનબેન સાથે પાંચેક વર્ષ પહેલા થયેલ હોય. લગ્નજીવન દરમ્યાન ત્રણેય આરોપીઓએ ફરિયાદીના દિકરાને હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપતા હતા. તે ત્રાસથી કંટાળી જતા ફરિયાદીના દિકરાને આપઘાત કરવા ફરજ પાડતા ફરિયાદીના દિકરાએ પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!