Sunday, May 5, 2024
HomeGujaratમોરબી રાજપર ચોકડી પાસે સામાન્ય બાબતે યુવાનને છરીનાં ઘા ઝીંક્યા : ત્રણ...

મોરબી રાજપર ચોકડી પાસે સામાન્ય બાબતે યુવાનને છરીનાં ઘા ઝીંક્યા : ત્રણ શખ્સો વિરુદ્ધ નોંધાયી ફરિયાદ

બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહિપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.વ.૩૦, રહે. શકત શનાળા શક્તિ પ્લોટ મોરબી) વાળાએ આરોપીઓ રવુભા બનુભા ઝાલા, યુવરાજસિંહ જાડેજા, લગધીરસિંહ ઉર્ફે પાંડુ પરમાર (રહે. ત્રણેય શકત શનાળા તા.જી.મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૧૮નાં રોજ સાંજે સાત વાગ્યાનાં અરસામાં ફરિયાદી પોતાનું મો.સા. લઈ રાજપર ચોકડી પાસે આવેલ શિવ શક્તિ હોટલે ચા પીવા માટે આવેલ ત્યારે ફરિયાદીનું મો.સા. ત્યાં પાર્ક કરેલ હોય ઉપરોક્ત ત્રણેય આરોપીઓ અલગ-અલગ મો.સા. લઈ ત્યાં આવેલ અને લગધીરસિંહએ તેનું મો.સા. ફરિયાદીનાં મો.સા. સાથે અડાડતા ફરિયાદીએ આરોપી લગધીરસિંહને કહેતા કે કેમ મારા મો.સા. સાથે અડાડેલ જેથી આરોપી જેમફાવે તેમ ગાળો આપવા લાગેલ અને આરોપીઓ યુવરાજસિંહ તથા લગધીરસિંહએ ફરિયાદીને પકડી રાખેલ અને આરોપી રવુભાએ તેના નફામાંથી છરી કાઢી ફરિયાદીને જમણા પગમાં સાથળનાં ભાગે એક ઘા મારી ઈજા પહોંચાડેલ. બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!