Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં ટ્રેક્ટર ચાલકની બેદરકારી ને કારણે યુવકનુ મોત

મોરબીમાં ટ્રેક્ટર ચાલકની બેદરકારી ને કારણે યુવકનુ મોત

રાજ્યમાં રોજબરોજ ટ્રેક્ટર ચાલકોની બેદરકારીનાં કારણે અનેક લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે ગઈકાલે મોરબીના રાજપર રોડ ઉપર પણ એક કાળમુખો ટ્રેક્ટર પાછળથી આવી રહેલ મોરબીના શખ્સને ભળખી ગયો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં રવાપર રોડ, તિરૂપતી સોસાયટી, અંજતા નિશાળની બાજુમાં આલપ રોડ પર રહેતા ખેંગારભાઇ મોહનભાઇ રાઠોડનો ભત્રીજો ગત તા.૨૭/૦૨/૨૦૨૩ ના સાંજના સમયે પોતાની GJ-36-AB-7195 નંબરની મોટરસાઇકલ લઈ મોરબી તાલુકાના રાજપર રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિર પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે હનુમાનજી મંદિરથી આગળ રાજપર ગામ તરફ જતા નેચી કાચો રસ્તો આવતો હોય તે બાજુ કોઇ પણ જાતના ઇન્ડીકેટર કે સંકેત આપ્યા વગર આગળ જતા મહીન્દ્રા કંપનીના ટ્રેક્ટરના ચાલકે વાળતા પાછળથી આવતો ફરીયાદીનો ભત્રીજો ટ્રેક્ટર ટ્રોલીની પાછળ ધડાકાભેર અથડાયો હતો. જેના કારણે યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ખેંગારભાઇ મોહનભાઇ રાઠોડ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!