મોરબી-૨માં મહારાણા પ્રતાપ સર્કલ નજીક શ્રીજી પેલેસ બિલ્ડિંગના ઉપરના માળેથી બે એપાર્ટમેન્ટ વચ્ચેના ભાગમાં પતરા પર પડી જતાં ૩૭ વર્ષીય યુવકનું કમકમાટી ભર્યું મોત.
મોરબીના વિસીપરા કુલીનગર-૨માં રહેતા પ્રકાશભાઈ મગનભાઈ આડેશરા ઉવ.૩૭ ગઈકાલ તા.૧૩/૦૯/૨૦૨૬ના રોજ મહારાણા પ્રતાપ સર્કલ પાસે ફ્લોરા સામે નમઃ હોસ્પિટલ પાછળ આવેલા શ્રીજી પેલેસ બિલ્ડિંગના ઉપરના માળેથી બે એપાર્ટમેન્ટ વચ્ચેના ભાગમાં નીચે પતરા પર પડી ગયા હતા. ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડીવી. પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.






