Tuesday, October 22, 2024
HomeGujaratહળવદ-માળીયા હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત: બે ઘાયલ

હળવદ-માળીયા હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત: બે ઘાયલ

મુંબઈથી કચ્છ રાપર જતી કારને નવા ધનાળા ગામના પાટિયા નજીક ટ્રેલરે ટક્કર મારતા સર્જાયો અકસ્માત

- Advertisement -
- Advertisement -

હળવદ: આજે વહેલી સવારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક હાઇવે પર ટ્રેલર ચાલકે કારને અડફેટે લેતા મુંબઈ થી કચ્છ જઈ રહેલ પરિવારને અકસ્માત નડયો છે અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે બેને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક કચ્છ-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારના મુંબઈથી કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેસલપર ગામે જઇ રહેલ પરિવારની કારને ટ્રેલર ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં સામુંબેન વસ્તાભાઈ પટેલ (ઉ.વ.૬૫), રમેશભાઈ વસ્તાભાઈ પટેલ (ઉ.વ.૫૦), મોંઘીબેન માણાભાઈ પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ઋત્વિકભાઈ માણાભાઈ અને વસ્તાભાઈ નારણભાઈને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી જય ત્રણેય મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આપવાની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!