Friday, September 20, 2024
HomeGujaratમોરબીનાં ચાર કુંડી બીલીયા ગામની સીમમાં મચ્છુ કેનાલમાં પડી જતાં આધેડનું મોત

મોરબીનાં ચાર કુંડી બીલીયા ગામની સીમમાં મચ્છુ કેનાલમાં પડી જતાં આધેડનું મોત

મોરબીમાં વધું એક અકસ્માતે મોતની ધટના સામે આવી છે. જેમાં મોરબીનાં ચાર કુંડી બીલીયા ગામની સીમમાં મચ્છુ કેનાલમાં પડી જતાં આધેડનું મોત નિપજયું છે. જેને લઇ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના પંચાસર રોડ પર રહેતા આધેડ રફીકભાઈ ગનીભાઈ ચૌહાણ ગઈકાલે બપોરના સમયે બીલીયાથી બરવાળા ગામ તરફ જતા રસ્તે ચાર કુંડી બીલીયા ગામની સીમમાં મચ્છુ કેનાલમાં કોઈ કારણોસર પડી ગયા હતા. જેને કારણે ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે સ્થાનિકોએ તેમને બહાર કાઢી મરણ હાલતમા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!