Tuesday, September 24, 2024
HomeGujaratમોરબી સિવિલ હોસ્પીટલમાં શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા પ્રસુતા માતાઓને અપાય...

મોરબી સિવિલ હોસ્પીટલમાં શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા પ્રસુતા માતાઓને અપાય છે ચોખ્ખા ઘીનો શીરો

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘીનો શીરો અર્પણ કરવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે.જે યજ્ઞ અવિરત ચાલુ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે. તેમજ શ્રી જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે.

ત્યારે મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શહેરની સિવિલ હોસ્પીટલ ખાતે પ્રસુતા માતાઓને દોશી પરીવારના સહયોગથી ચોખ્ખા ઘીનો શીરો અર્પણ કરવામાં આવી રહ્યો છે.આ સેવાકાર્ય અવિરતપણે શ્રી જલારામ મંદિર મહિલા મંડળના બહેનો દ્વારા પ્રદાન કરવામાં આવી રહ્યુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!