Friday, September 27, 2024
HomeGujaratમોરબીમાં ૬૨ વર્ષીય વૃદ્ધનું હૃદયરોગના હુમલામા મૃત્યુ નીપજ્યું

મોરબીમાં ૬૨ વર્ષીય વૃદ્ધનું હૃદયરોગના હુમલામા મૃત્યુ નીપજ્યું

મોરબીમાં વધુ એક હાર્ટ એટેકમાં મૃત્યુનો બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના એસપી રોડ ઉપર આવેલ ઇડનગાર્ડન ડી વીંગ્સ બ્લોક નં.૧૦૦૧માં રહેતા દિનેશચંદ્ર મોહનભાઇ ઘાટોડીયા ઉવ.૬૨ ગઈકાલે તા.૨૫/૦૯ના રોજ બપોરના અરસામાં પોતાના ઉપરોક્ત રહેણાંકે હોય ત્યારે તેઓને જોરદાર હૃદય હુમલો આવતા તેમનું હૃદય બેસી ગયું હોય ત્યારે સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે દીનેશચંદ્રને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગેની મૃતકના મોટાભાઈ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!