Friday, June 27, 2025
HomeGujaratવાંકાનેરના અમરસર ગામે જૂની અદાવતનો ખાર રાખી માતા-પુત્રીને લોખંડના પાઈપથી માર મારનાર...

વાંકાનેરના અમરસર ગામે જૂની અદાવતનો ખાર રાખી માતા-પુત્રીને લોખંડના પાઈપથી માર મારનાર સામે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકાના અમરસર ગામે રાજકોટ રહેતા માતા-પુત્રને માર મારવાની ઘટના સામે આવી છે, જેમાં ભોગ બનનાર મહિલાના દિયર સાથે ગામ રહેતા ઇસમે ઝઘડો કરતા તેઓને ફ્રેકચર જેવી ઉજ પહોંચી હોય ત્યારે તેને જોવા માટે મહિલા પરિવાર સાથે રાજકોટથી અમરસર આવ્યા હોય જે આ ઇસમને સારું નહિ લાગતા, માતા-પુત્રી તેમજ તેમની સાસુ ઉપર લોખંડના પાઈપથી હુમલો કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના અમરસર ગામના નવાપરા વિસ્તારમાં ૨૧મી જૂન ૨૦૨૫ના રોજ રાજકોટના રામનાથપરા વિસ્તારમાં રહેતા સોનલબેન રમેશભાઇ ધંધુકીયા ઉવ.૩૯ પતિ, દિકરો અને દિકરી સાથે વાંકાનેરના દિયર વિનોદભાઈને મળવા ગયેલા, જેને થોડા દિવસ પહેલાં મુકેશભાઈ વેરશીભાઈ સિતાપરા સાથે થયેલા ઝઘડામાં ઇજા થઈ હતી. પરિવાર રાત્રે દોઢેક વાગ્યે પરત જઈ રહ્યો હતો ત્યારે આરોપી મુકેશભાઈ પાઈપ સાથે પહોંચી બોલાચાલી શરૂ કરી અને બાદમાં લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો.

આ ઘટનામાં સોનલબેનને વાસાના ભાગે ઇજા, તેમની દિકરી પુજાને બંને હાથમાં ફ્રેક્ચરની ગંભીર ઈજાઓ, અને સાસુ મોતીબેનને પણ પાઈપના ઘા લાગતાં ઈજાઓ પહોંચ્યા હતા. સારવાર માટે તાત્કાલિક ૧૦૮ મારફતે વાંકાનેર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી દીકરી પુજાને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવી હતી. ત્યારે બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી મુકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!