હળવદ તાલુકાના વાકીયા ગામની સીમમાં એક યુવાને પત્ની સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ ઝેરી દવા પી લીધી હોવાની ઘટના સામે આવી છે. જોકે, તાત્કાલિક સારવાર આપવા છતાં યુવાનનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મરણ ગયેલ યુવાન નવલભાઈ રાજુભાઈ મોહનિયા (ઉ.વ.૨૫), રહે. વાકીયા ગામની સીમમાં મનીષભાઈ પટેલની વાડી, મુળ વતન રીંગોલ, ભાભરા તાલુકો, અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાને તા. ૨૪ જૂનના રોજ સાંજના નવલભાઈના નાના દિકરા અનુરાજને લઈને તેમની પત્ની સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલીનું મનોમન લાગી આવતા નવલભાઈએ ઝેરી દવા પી લીધી હતી, ઝેરી દવાની અસરને લઈને તેમને ચરાડવા સરકારી હોસ્પિટલ લઈ ગયા, જ્યાંથી વધુ સારવાર માટે પહેલા મોરબી અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમ્યાન નવલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની પત્ની પાસેથી હળવદ પોલીસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતનો નોંધ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે