Saturday, June 28, 2025
HomeGujaratમોરબી જીલ્લાના ધોરણ-૫ ના બાળકોને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક; પ્રવેશ...

મોરબી જીલ્લાના ધોરણ-૫ ના બાળકોને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક; પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈ.

ઈચ્છુકોએ ૨૯ જુલાઈ સુધીમાં navodaya.gov.in અથવા cbseitms.rcil.gov.in/nvs પર ઓનલાઈન અરજી કરવી

- Advertisement -
- Advertisement -

મોરબી: ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેર, જી. મોરબીમાં ધોરણ ૬ (શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭) માં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો ઉપરોક્ત વેબસાઇટ પરથી તા.૨૯ જુલાઈ ૨૦૨૫ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે.

ધોરણ-૬ ની પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારે જે જીલ્લામાં જવાહર નવોદય વિધાલય કાર્યરત છે તે જીલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં ધોરણ-૫ માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં અભ્યાસ કર્યો હોવો જોઈએ. પ્રવેશ પરીક્ષા તા. ૧૩ ડિસેમ્બર ૨૦૨૫ (શનિવાર)ના રોજ લેવામાં આવશે તેવું પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેરના આચાર્યશ્રી આર.કે. બોરોલેની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!