Sunday, October 19, 2025
HomeGujaratમોરબીમાંથી અપહરણ થયેલ સગીરાને મોરબી તાલુકા પોલીસે કર્ણાટકથી શોધી કાઢી:આરોપીની અટકાયત

મોરબીમાંથી અપહરણ થયેલ સગીરાને મોરબી તાલુકા પોલીસે કર્ણાટકથી શોધી કાઢી:આરોપીની અટકાયત

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ તથાસ્તુ સેનેટરી વેર કારખાનામાંથી થયેલ અપહરણનો ભેદ ઉકેલાયો છે. મોરબી તાલુકા પોલીસે ભોગનનનારને કર્ણાટક રાજયના મેંગલુરૂ જીલ્લાના પનામ્બુરમાંથી શોધી આરોપીને ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા.૨૮/૦૮/૨૦૨૪ ના રોજ એક અપહરણનો ગુન્હો દાખલ થયો હતો. જેમાં સુર્જીયો કાંત ઉર્ફે શિપુ નિમાયચંદ કર નામના શખ્સે ફરિયાદીની સગીરવયની દીકરીનું રંગપર ગામની સીમ તથાસ્તુ સેનેટરી વેર કારખાનાની લેબર કોલોનીમાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી અપહરણ કર્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારે મોરબી તાલુકા પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે ટેકનીકલ વર્કથી માહિતી મેળવી સ્થાનીક પોલીસની મદદ મેળવી આરોપી તથા ભોગબનનાર કર્ણાટક રાજયના મેંગલુરૂ જીલ્લાના પનામ્બુર ખાતેથી શોધી કાઢી આરોપી સુર્જીયો કાંત ઉર્ફે શિપુ નિમાયચંદ કરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!