Thursday, January 22, 2026
HomeGujaratમોરબી: અગ્નિશમન શાખા દ્વારા ૫ ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર પ્રિવેન્શન અંગે તાલીમ અપાઈ

મોરબી: અગ્નિશમન શાખા દ્વારા ૫ ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર પ્રિવેન્શન અંગે તાલીમ અપાઈ

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી સ્ટાફની સતર્કતા વધારવા હાઇડ્રન્ટ ડ્રિલ યોજી તેમજ ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. સાથે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તથા ફાયર એનઓસીની ચકાસણી કરી, નિયમોનું પાલન ન કરતા બિલ્ડીંગોને નોટીસ આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા તા.૧૩/૦૧/૨૦૨૬ ના રોજ એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી સ્ટાફની તૈયારી અને સતર્કતા વધારવાના હેતુથી હાઇડ્રન્ટ ડ્રિલ યોજવામાં આવી હતી. ઉપરાંત તા.૧૩/૦૧/૨૦૨૬ થી ૧૯/૦૧/૨૦૨૬ દરમિયાન કુલ ૦૫ ઇન્ડસ્ટ્રીઝમાં ૯૫ કર્મચારીઓને ફાયર પ્રિવેન્શન અંગે તાલીમ આપવામાં આવી હતી. ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ તથા ઇન્ડસ્ટ્રીઝ જેવી વિવિધ બિલ્ડીંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરાયું હતું. ફાયર એનઓસી ન ધરાવતા બિલ્ડીંગોને નોટીસ આપવામાં આવી તેમજ જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી. અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૭૨ કોમ્પ્લેક્ષ અને ૩૪ સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અથવા પૂર્ણ કરાઈ છે. આ સમયગાળા દરમિયાન ફાયર સેફ્ટી અપ્રુવલ માટે આવેલી ૦૭ અરજીઓ આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીના નાગરિકોને ફાયર સેફ્ટી અંગે માહિતગાર કરવો, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવો તથા કોઈપણ ઇમરજન્સી સમયે તાત્કાલિક અગ્નિશમન શાખાનો સંપર્ક કરી જાન-માલના નુકસાનથી બચાવ કરવાનો છે. મોરબીમાં મળતા રેસ્ક્યુ કોલ તથા આગ લાગવાના બનાવોમાં ફાયર વિભાગના જવાનો આધુનિક PPE સાધનો જેમ કે હેલ્મેટ, ગમબૂટ, વન-લેયર સૂટ અને હેન્ડ ગ્લોવ્ઝ સાથે ફાયર ફાઈટીંગ કરે છે. કોઈ પણ અગ્નિ દુર્ઘટના સમયે નાગરિકો મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના નંબર (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ પર સંપર્ક કરી શકે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!