મળતી માહિતી મુજબ, મૂળ છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામનો રહેવાસી અને હાલ ટીકર ગામની સીમમાં આવેલી વાડીમાં મજૂરી કામ કરતો સંજયભાઈ કાન્તિયાભાઈ ભીલ ઉવ.૧૮ને રાત્રિના સમયે કોઈ ઝેરી જીવજંતુ કરડી ગયું હતું. સારવાર માટે ખસેડાયા બાદ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે તેના પિતા કાન્તિયાભાઈ નાહલીયાભાઈ ભીલ પાસેથી હળવદ પોલીસે વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






