મોરબીની ગોકુલ મથુરા સોસાયટીમાં બાથરૂમ જતી વેળાએ ચક્કર આવતા પડી ગયેલા ૪૯ વર્ષીય વેપારીનું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું.
મોરબીના ગોકુલ મથુરા સોસાયટી વર્ણી હાઇટ્સ ફ્લેટ નં.૧૦૨માં રહેતા જગદીશભાઈ કરમશીભાઈ શેરશીયા ઉવ.૪૯ નામના વેપારી ગઈકાલ તા.૧૩/૦૯/૨૦૨૬ના રોજ પોતાના ઘરે બાથરૂમ જતાં ચક્કર આવતા પડી જઈ બેભાન થઈ ગયા હતા. તેમને તુરંત સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી સીટી એ ડીવી. પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






