Friday, May 3, 2024
HomeGujaratકરિયાવર બાબતે મોરબીની પરિણીતાને દુ:ખ ત્રાસ આપતા સાસરિયાઓ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ...

કરિયાવર બાબતે મોરબીની પરિણીતાને દુ:ખ ત્રાસ આપતા સાસરિયાઓ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

મોરબીમાં પરિણીતાને તેના સાસરિયાઓ અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ નાની-નાની બાબતોમા કરીયાવર ઓછો લાવી છો તેમ કહી મેણાટોણા મારી સંસારીઓ દુ:ખ ત્રાસ આપતા આખરે મહિલાએ કંટાળી સાસરિયાઓ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, લશ્ર્મી નારાયાણ સોસાયટી વ્રજ ટાવર એપાર્ટમેન્ટ બીજા માળે રહેતી નસીબેન પીયુષભાઇ મલ્લી નામની પરિણીતાને સસરા રમેશભાઇ વાલજીભાઇ મલ્લી, સાસુ બીનાબેન રમેશભાઇ મલ્લી તથા નણંદ પ્રીયાબેન રમેશભાઇ મલ્લી (રહે બધા-લશ્ર્મી નારાયાણ સોસાયટી વ્રજ ટાવર એપાર્ટમેન્ટ બીજા માળે રુમ નંબર-૨૦૪ મોરબી) અવાર નવાર નાની નાની બાબતોમા તથા કરીયાવર ઓછો લાવી છો તેમ મેણાટોણા મારી ફરિયાદીના પતી પીયુષભાઇ રમેશભાઇ મલ્લીને આરોપીઓ ખોટી ચડામણી કરતા મારપીટ કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા આખરે માનસીબેનએ પતી પીયુષભાઇ રમેશભાઇ મલ્લી, સસરા રમેશભાઇ વાલજીભાઇ મલ્લી, સાસુ બીનાબેન રમેશભાઇ મલ્લી તથા નણંદ પ્રીયાબેન રમેશભાઇ મલ્લી વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!